Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

રાજપીપળા રજપૂત ફળિયાના યુવાનોએ ધૈર્યરાજસિંહ નામના બીમાર બાળકને રૂ.25 હજારની મદદ પહોંચાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં સોસીયલ મીડિયા પર મહીસાગર જિલ્લાના કાનેસર ના રેહવાસી રાજદીપસિંહ રાઠોડના સૂપત્ર ધેર્યરાજસિંહ રાઠોડને SMA-1 નામની ગંભીર બીમારી થઇ હોય જેની સારવાર માટે ૧૬ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જરૂિયાત ઊભી થઈ હોય આ નાના બાળક નો જીવ બચી શકે તેમ છે.માટે મદદ માટે આજીજી કરાતા રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના ઘણા લોકોએ આ માટે મદદ કરી જેમાં ખાસ રાજપીપળા રજપૂત ફળીયાના યુવાનો એ આ બાળકની જિંદગી બચાવવા તેમના ગ્રૂપમાં મેસેજો ફરતા કરી જોત જોતામાં આ યુવાનો એ આજે 25 હજાર રૂપિયા એકઠા કરી ઓનલાઈન પહોંચાડ્યા છે.ત્યારે આ તબક્કે આ યુવાનો એ જણાવ્યું કે અમે અમારા થી બનતા પ્રયત્નો દ્વારા મદદ કરી છે.અમને આશા છે તમે પણ મદદમાં જોડાવ,જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય છે. તેમ આપણી નાની મદદ કોઈનો જીવ બચાવી શકે તેમ છે તેમ રાજપૂત ફળીયા યુવક મંડળે અપીલ કરી છે.

(10:03 pm IST)