Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદના શાહપુરના નાગોરીવાડમાં પથ્થરમારો :વાહનોમાં આગચંપી :ટીયરગેસના સેલ છોડાયા

ડીસીપી,જેસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા :ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે દોડી

 

અમદાવાદના શાહપુર વિસ્તારના નાગોરીવાડમાં પથ્થરમારો થતા સ્થિતિ તંગ બની હતી. અહીં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનમાં આગચંપી કરી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ કાબૂમાં લીધી હતી. અને ડી.સી.પી, જે.સી.પી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.

(11:13 pm IST)