Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વડોદરામાં બીમારીની સારવારના બહાને વિધવા મહિલા પાસેથી 16.81 લાખની છેતરપિંડી આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:ફેમિલી રિલેશન બનાવીને વિધવા મહિલા પાસેથી રૃપિયા ૧૬.૮૧ લાખ સારવારના બહાને ઊછીના લઈ પરત નહી  કરનાર યુવક સામે વારસીયા પોલીસ સ્ટેેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

અંગેની વિગત એવી છે કે મૂળ મુંબઈના અને હાલમાં ન્યૂ વીઆઈ.પી.રોડના વ્રજધામ કોમ્પલેક્ષમાં રહેતા શીલાબેન પંજાબી રસોઈ કામ કરે છે

મુંબઈની બે દુકાનો તથા એક મકાન વેચી દઈને જે રૃપિયા આવ્યા હતા તે એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. તેમના પુત્રના મિત્ર સન્ની નિર્મલદાસ ખત્રી સાથે ફેમિલી રિલેશન બંધાયા હતા. સન્નીએ કાકાની બિમારીની સારવાર કરાવવાના બહાને રૃપિયા ૧૬.૮૧ લીધા હતાઅને તેની ચૂકવણી પેટે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા. સન્નીની માતાએ  '' મારા પુત્ર સાથે મારે કોઈ સંબંધ નથી. '' તેવું જાહેર કરતાં શીલા પંજાબીએ ફિનાઈલ પી લીધુ હતુ. સન્નીએ રૃપિયા લીધા  અંગેનો કરાર પણ કર્યો હતો. તે છતાંય રૃપિયાની ચૂકવણી  કરી હતી

 

 

 

 

(5:47 pm IST)