Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કાર ખરીદવાના બહાને વડોદરાના દલાલને અમદાવાદ બોલાવી 15થી 16 શખ્સોએ મળી અપહરણ કરી પાંચ લાખની માંગણી કરી

અમદાવાદ:કાર વેચાતી લવાને બહાને વડોદરાના દલાલને અસલાલીમાં બોલાવીને ૧૫થી ૧૬ શખ્સોએ કારમાં તેનું અપહરણ કર્યું હતું. બાદમાં નજીકના ફાર્મ હાઉસમાં લઈ જઈને ઢોર માર મારી છુટકારા માટે પાંચ લાખની માંગણી કરી હતી. જોકે દલાલનો મિત્ર અસલાલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોવાનું જણાતા  આરોપીઓ તેને છોડીને ભાગી ગયા હતા.

બનાવની વિગત મુજબ વડોદરામાં રહેતો ઈરફાનખાન બાબસાહેબ દાયમા (૩૩) જુની કાર લે-વેચનો ધંધો કરે છે.   ૨૦૧૮માં બેન્કમાંથી લોન લઈને ખરીદેલી કાર ઈરફાનખાને વેચવા કાઢતા અમદાવાદના દલાલ મનહરસિંહ ઉર્ફે કાનભા જાડેજાએ કાર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે ઈરફાનખાનને અસલાલીમાં સૌભાગ્ય હોટેલ પાસે બોલાવતા તે કાર લઈને તેના બે મિત્રો સાથે અહીં પહોંચ્યો હતો.

 

(5:44 pm IST)