Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મહેસાણામાં શહીદ વીર જવાનો ને અંજલી આતંકવાદીઓને સજા આપવા ઉગ્ર માંગ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

મહેસાણા:  જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા  ભારતીય જવાનો  શહીદ થતા  તેઓને  અંજલિ આપવા માટે  તથા  આતંકવાદીઓને સજા આપવાની  માંગ સાથે મહેસાણાના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલો કરવામાં આવતા ઠેર-ઠેર  આક્રોશ ફેલાયો છે ત્યારે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી રૂપે મહેસાણાની બજારો સ્વયંભૂ જડબેસલાક બંધ રહી હતી શહેરના ધમધમતા બી કે રોડ, માલ ગોડાઉન રોડ, માર્કેટ યાર્ડની દુકાનો, કૃષ્ણ સિનેમા રોડ, રાજમહેલ રોડ અને તોરણવાળી માતાનો ચોક સ્થિત તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી શહીદો માટે ફંડ લેવા માટે ઠેર ઠેર વેપારીઓ જાતે ઉભા  રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીરના પુલવામા  ભારતીય જવાનો ઉપર હુમલો કરવામાં આવતા  ભારે આક્રોશ  ફેલાયો છે  અને આક્રોશભેર બંધ પાળીને આતંકવાદીઓને સજા આપવાની માંગણી થઈ હતી તસવીર - રાહુલ ઠક્કર, મહેસાણા)

(1:16 pm IST)