Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આંકલાવના ગંભીરામાં ઉમેટા બ્રિજ પરથી ઝેરી દવા પી પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી

આંકલાવ: તાલુકાના ગંભીરા ગામના પ્રેમીપંખીડા ઉમેટા બ્રીજ પરથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. ગંભીર હાલતમાં બન્નેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અંગે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગંભીરા ગામે રહેતા હાર્દિકભાઈ રણછોડભાઈ પઢિયાર (. . ૧૮)ને નજીકમાં રહેતી નીમીષાબેન ઉદાભાઈ પરમાર (. . ૧૮)સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. ધીરેધીરે તેમના પરિવારજનોને વાતની ખબર પડતાં તેઓ દ્વારા વિરોધ કરીને કેટલીક પાબંધીઓ પણ લગાવી દીધી હતી. તેમ છતાં પણ બન્ને એકબીજાને મળતા હતા અને બે થી ત્રણ વખત તો ભાગી પણ ગયા હતા. પરંતુ સમાજ અને બન્નેના પરિવારજનોએ તેમને સ્વીકાર્યા નહોતા જેથી પરત આવ્યા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે ફરીથી બન્ને જણાં ઘરેથી ભાગી ગયા હતા અને ઉમેટા બ્રીજ પર આવીને સાથ જીએંગે સાથ મરેંગેના કોલ નીભાવવા માટે ઝેરી દવા પી લીઘી હતી

 

 

 

 

(5:22 pm IST)