Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વડોદરામાં શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર પત્ર લેખનમાં સામે આવ્યો હોવાની માહિતી

વડોદરા: શહેરના એક આચાર્યે શિક્ષણ વિભાગમાં અલગ અલગ કામો માટે લેવાતી રકમના ઉલ્લેખ સાથે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, રાજ્યપાલ, બોર્ડના તેમજ શિક્ષણ વિભાગના બીજા અધિકારીઓને એક પત્ર લખીને ધ્યાન દોર્યુ છે.

પત્રમાં લખવામાં આવ્યુ છે કે નોન ગ્રાન્ટેડબલ શાળાઓને પૈસા અને જ્ઞાાતિવાદના આધારે મંજૂરીઓ આપવી કે નહી તે નક્કી કરવામાં આવી રહ્યુ છે. દુષણને ડામવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.જેના કારણે શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે.

 

(5:18 pm IST)