Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલાને વખોડી કેન્ડલમાર્ચ યોજાઈ

પાંચબત્તી સર્કલે બે મિનિટ મૌન પાળીને શહીદોને આપી અંજલિ :હિન્દુસ્તાન ઝિંદાબાદ, શહીદો અમર રહો અને હમ સબ એક ના નારા લાગ્યા

Alternative text - include a link to the PDF!

 

ભરૂચ ફાટા તળાવ થઈ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલાને વખોડી પાચબત્તી સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારી,વેપારી જોડાયા હતા. પાચબત્તી સર્કલ ઉપર તેમને કેન્ડલ માર્ચને વિરામ આપી શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી બાદમાં કેન્ડલો સર્કલ ની ફરતે મૂકી હિંદુસ્તાન જીંદાબાદ,શહિદો અમર રહો, હમ સબ એક હાઈના નારા લગાવ્યા હતા

(12:51 am IST)