Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અગાઉ પ્રેમી સાથે ભાગેલ વડતાલની યુવતીને સૈંયાતથી ઝડપવામાં આવી

વડતાલ:માં રહેતાં ગોરધનભાઈ રણછોડભાઈ પરમારની પુત્રી ભારતીબેન તા.૨૮-૬-૧૦ ના રોજ ગુમ થઈ હતી. જેથી ચકલાસી પોલીસમાં ગોરધનભાઈ પરમારે ગુમ જાણવા જોગ નોંધાવી હતી. જેેમાં ભારતીની ઉંમર ૧૭ દર્શાવી હતી. 

ચકલાસી પોલીસે થી ૧૮ વર્ષની વયના ગુમ બાળકોની શોધખોળ માટે હાથ ધરેલ અભિયાન દરમિયાન ભારતીબેન ઠાસરા તાલુકાના સૈયાંત તાબે નવાપુરામાં રહેતાં હોવાનું બહાર આવતાં તેમણે ત્યાં જઈ ભારતીબેનનો કબજો લેઈ માવતરને સોંપી છે. બનાવની તપાસ કરતાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ બાબુભાઈએ જણાવ્યું હતું કે ભારતીબેન ગુમ થયાં ત્યારે તેના માવતરે ઉંમર ૧૭ દર્શાવી હતી. જો કે વાસ્તવમાં તે વખતે તેની ઉંમર ૧૯ વર્ષની હતી. સૈયાંતમાં રહેતાં પ્રસાદ બાબુભાઈ ચાવડા વડતાલમાં નોકરી કરતો હોઈ ૨૦૧૦ માં ભારતીબેનના સંપર્કમાં આવ્યો હતો. અને બંને વચ્ચે પ્રેમ થઈ જતાં તેઓ ભાગી છુટ્યાં હતાં. બંનેના હાલમાં બે સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

 

(5:49 pm IST)