Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

15 દિવસ પહેલાજ લગ્ન કરી ગયેલી નવવધુને સાસરિયાં ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અંકલેશ્વરથી એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલપલાઇનમા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમયથી અહી બેસી રહી છે જેને મદદરૂપ બનવા અપીલ કરતા અભયમ રિસ્કયુ ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે પંદર દિવસ પહેલાં તેના લગ્ન થયેલ જેમાં પતિ અને સાસરી વાળા એ મારઝૂડ કરતા ઘરેથી નીકળી ગયેલ અને હવે પરત જવા માગતા ના હોય અભયમ ટીમ દ્વારા તેમને ઓ. એસ. સી મા આશ્રય અપાવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશ નો પરિવાર ભરૂચ મા રોજગારી માટે આવેલ જેમની બારમા ધોરણ મા અભ્યાસ કરતી દીકરી ને અભ્યાસ છોડાવી તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હતા. પંદર દિવસ ના લગ્ન જીવન માં કોઈપણ વાંક ગુના વગર તેના પતિ દ્વારા મારપીટ કરવામાં આવતી હતી બે દિવસ પહેલા તેના સાસરી વાળા એ પણ માનસિક શારીરિક હેરાનગતિ કરતા ત્રાસી ઉઠેલ પરણિતા એ ઘર છોડી નીકળી ગયેલ અને તેની માતા ને ફોન કરેલ જ્યાં તેની માતાએ જણાવેલ કે હવે અમે તારા લગ્ન કરાવી દીધા છે તારે હવે ત્યાં જ રહેવાનું છે જેથી પરણિતાને હવે ક્યાં જવું તે સમજ ના પડતા અંકલેશ્વર બસ સ્ટેશન મા બેસી રહેલ જ્યાં એક ત્રાહિત વ્યક્તિ ની નજર મા આવતા તેને મદદ કરવાની ભાવના થી 181 મહિલા હેલપલાઇનમા જાણ કરી હતી.
અભયમ ટીમ દ્વારા તેની સાથે કાઉન્સિલ કરી વિગતે તેની માહિતી મેળવી હતી હવે તે સાસરી માં કે પિયર મા જવા માગતી ના હતી જેથી તેની ઈચ્છાનુસાર માટે ઓ. એસ સી મા આશ્રય અપાવવામાં આવ્યો છે.

 
(10:54 pm IST)