Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

15 નવેમ્બરે ગૌરવ દિવસની ઉજવણીમાં નિકળનારી શોભાયાત્રા માટે રાજપીપળામાં તડામાર તૈયારીઓ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા શહેર માં ભગવાન બીરસામુંડાના જન્મ દિવસ નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજીત જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભગવાન બિરસા મુંડાના જન્મની ઉજવણી રૂપે શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં એક ભવ્ય શોભાયાત્રા નિકળવાની હોવાથી રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર આગેવાનો ના બેનર લગાવવામાં આવ્યા છે સોમવારે સવારે 9 વાગે નિકાળનારી આ શોભાયાત્રા માં સૌ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેમ જાણવા મળ્યું છે.

(10:44 pm IST)