Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સુરત: માનદરવાજા નજીક જરીના વેપારીની કરપીણ હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

સુરત: શહેરમાં માનદરવાજા પાંચ હજાર ટેનામેન્ટમાં ગત મોડી સાંજે જરીના વેપારીની હત્યા કરનાર સ્થાનિક યુવાનને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. વેપારીને જાંઘના ભાગે ચપ્પુ મરાયું હતું પણ સારવાર માટે  લઇ જવામા વિલંબ થતા બચાવી શકાયા નહોતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ માન દરવાજા પાંચ હજાર ટેનામેન્ટ બી/126 માં રહેતા જરીના વેપારી ગિરીશભાઈ રવિચંદ્ર રાણા ( ઉ.વ.50 ) ઉપર ગત મોડી સાંજે પોણા આઠ વાગ્યાના અરસામાં માન દરવાજા બી ટેનામેન્ટ રૃમ નં.73 માં રહેતાં નિતીન ઉર્ફે જાપાની શંકરભાઈ ઢોડીયા પટેલે ચોથા માળે દાદર પાસે લાઇટ બંધ કરી ડાબા પગના જાંઘના ભાગે ચપ્પુનો એક ઘા ઝીંકી દીધો હતો. ગિરીશભાઇને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પરંતુ હુમલો થયાના ઘણા સમય બાદ તેમને સારવાર માટે લવાતાં અને વધુ પડતું લોહી વહી જવાને લીધે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

(5:53 pm IST)