Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બિન સચિવાલયની પરીક્ષા રદ કેમ કરી? : યોગ્ય કારણો જણાવવા જીજ્ઞેશ મેવાણીની માંગ: મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અગાઉની ભરતીમાં પણ ઉમેદવાર સાથે થયેલા અન્યાય થયાનો કર્યો ઉલ્લેખ

 

અમદાવાદ : રાજ્ય સરકારે બિન સચિવાલયની પરીક્ષા રદ કરતાં 10 લાખથી વધુ પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મામલે હવે વડ ગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ ઉમેદવારના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે.

  મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને પરીક્ષા કેમ રદ કરી તેના યોગ્ય કારણોની માગ કરી છે. સાથો સાથ જીજ્ઞેશ મેવાણી સરકારની અગાઉની ભરતીમાં પણ ઉમેદવાર સાથે થયેલા અન્યાયની વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

(10:53 pm IST)