Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ધાનેરા માં શંકાસ્પદ ડીપથેરિયાથી ચાર લોકોના મોતથી હાહાકાર: કેસના 14 લોકો સારવાર હેઠળ

આરોગ્ય વિભાગે ટિમો બનાવી :અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને રસી અપાઈ

બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરીયાથી ચાર દર્દીઓના મોત થયા છે. એક મહિનામાં ચાર લોકોના શંકાસ્પદ મોત થતા ધાનેરામાં હાહાકાર વ્યાપી ગયો છે. ડીપ્થેરિયા કેસના 14 લોકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રસી આપવામાં આવી છે.

(2:11 pm IST)