Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : નવા 176 કેસ નોંધાયા:વધુ 199 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ :મૃત્યુઆંક 11,026 થયો :કુલ 12.60.717 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 148.798 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1232 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 199 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,60.717 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, તાપીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,026 છે,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.04 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.48.798 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,55.35.505 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1232 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1228 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 176 કેસમાં સુરત કોર્પોરેશનમાં 52 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 40 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ,બનાસકાંઠામાં 11 કેસ, નવસારીમાં 9 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, ગાંધીનગરમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશન, રાજકોટ અને વલસાડમાં 5-5 કેસ, મહેસાણામાં 4 કેસ, સુરતમાં 3 કેસ, ભાવનગર કોર્પોરેશન, કચ્છ અને પંચમહાલમાં 2-2 કેસ, અમરેલી, ભરૂચ, જામનગર,જામનગર કોર્પોરેશન,ખેડા, પાટણ, સાબરકાંઠા,તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

(7:50 pm IST)