Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આણંદ નજીક બોરીયાવી બ્રિજ પાસે ઉછીના પૈસા બાબતે એકને ઢોરમાર મારવામાં આવતા પોલીસ ફરિયાદ

આણંદ: ખાતે રહેતા અને પ્રીન્ટીંગ પ્રેસનું કામકાજ કરતા કાર્તિકકુમાર કનુભાઈ પંચાલે બે મહિના પૈસાની જરૂરત પડતાં તેણે કિશનભાઈ ભરવાડ પાસેથી ૨૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા.


જે પૈકી ૧૫ હજાર થોડા સમયમાં જ પરત કરી દીધા હતા. જ્યારે પાંચ હજાર બાકી હતા. જ માટે કિશન ભરવાડ દ્વારા વારેઘડીએ ઉઘરાણી કરવામાં આવતી હતી.

દરમ્યાન આજે નેશનલ હાઈવે ઉપર આવેલી બોરીયાવી નજીક પોતાનું રીપેરીંગમાં મુકેલું બાઈક લેવા માટે કાર્તિકકુમાર જતા હતા ત્યારે બ્રિજ પાસે કિશન ભરવાડ આવી પહોંચ્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને પૈસાની માંગણી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં હાથમાં પહેરેલું કડુ માથાના ભાગે વાગી જતાં લોહી નીકળ્યું હતુ ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કિશન ભરવાડને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:18 pm IST)