Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજ્‍યના ૧૧૩ પીઆઇની બદલીઃ રાજકોટના જે. વી. ધોળા, સી. જી. વ્‍યાસ, એમ. સી. વાળા બદલાયાઃ પાંચની નિમણુંક

સુરતના જે. એસ. ગામિત, શ્રીમતિ એન. એચ. મોર, જુનાગઢના એન.આઇ. રાઠોડ, ગીર સોમનાથના એન. જી. વાઘેલા અને અરવલ્લીના એમ. જી. વસાવાને રાજકોટ શહેરમાં મુકાયા

રાજકોટ તા.૧૫: રાજ્‍યના વધુ ૧૧૩ બિન હથિયારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર્સની બદલીનો ઓર્ડર નીકળ્‍યો છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝન અને બી-ડિવીઝનના પીઆઇનો પણ સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાંચના જે. વી. ધોળાને રાજકોટથી કચ્‍છ પમિ ભુજ, સી. જી. જોષીને અમદાવાદ શહેર અને એમ. સી. વાળાને સુરત શહેર ખાતે મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે સુરત શહેરના જે. એસ. ગામિત, શ્રીમતિ એન. એચ. મોર, જુનાગઢના એન.આઇ. રાઠોડ, ગીર સોમનાથના એન. જી. વાઘેલા તથા અરવલ્લીના એમ. જી. વસાવાની બદલી રાજકોટ શહેર ખાતે કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરેનદ્રનગરના ડી.એમ. રાવલને જુનાગઢ પીટીસી, આર.જે. રામને  પંચમહાલ, એમ. ડી. ચોૈધરીને કચ્‍છ પુર્વ ગાંધીધામ, જુનાગઢ રેન્‍જના કે. કે. ઝાલાને પંચમહાલ, જુનાગઢના એચ. આઇ. ભાટીને વડોદરા, જુનાગઢ વિભાગનાઆર. વી. વાજાને ગાંધીનગર, ભાગવનગરના આર. આઇ. સોલંકીને કચ્‍છ પમિ ભુજ, ડી. જી. પટેલને કચ્‍છ પુર્વ ગાંધીધામ ખાતે મુકવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત કે. ડી. ગોહિલને અરવલ્લી, બોટાદના જે. વી. ચોૈધરીને જામનગર, અમરેલીના એચ. કે. મકવાણાને નર્મદા, જામનગરના કે. એલ. ગાધેને સુરત શહેર, કે. જે. ભોયને સુરત શહેર, શ્રીમતિ યુ. એચ. વસાવાને અમદાવાદ શહેર, દેવભુમિ દ્વારકાના શ્રીમતિ પી. બી. ઝાલાને અમદાવાદ શહેર, મોરબીના શ્રીમતિ વી. એલ. સાકરીયાને વડોદરા શહેર, કચ્‍છ પヘમિ ભુજના કે. બી. વિહોલને સુરેન્‍દ્રનગર, કચ્‍છ પુર્વ ગાંધીધામના એ. જી. સોલંકીને બોટાદ, ડી. એમ. ઝાલાને દેવભૂમિ દ્વારકા, શ્રીમતિ કે. પી. સાગઠીયાને અમદાવાદ શહેર તથા એ. એસ. દેસાઇને ગાંધીનગર મુકાયા છે. આમ કુલ ૧૧૩ પીઆઇની બદલીના ઓર્ડર નીકળતાં તમામને તાત્‍કાલીક અસરથી બદલીના સ્‍થળે હાજર થવા અને હાલ જ્‍યાં ફરજ બજાવતાં હોય ત્‍યાંથી છુટા કરવા આદેશ થયો છે. 

(11:37 am IST)