Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

યાત્રાધામ અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ :બજારમાં પાણી ફરી વળતા નદીઓ વહેવા લાગી

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાક

અંબાજી : ભારે આગાહી વચ્ચે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી છે. અનરાધાર વરસાદના પગલે બજારોમાં વરસાદી પાણી ફરી વળતા નદીઓ વહેવા લાગી હતી. બજારોમાં જળબંબાકારના પગલે વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધોધમાર વરસાદથી લોકોને અસહ્ય બફારાથી મોટી રાહત મળી હતી. અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

(10:52 pm IST)