Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

નર્મદા જિલ્લામાં વધુ ૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : નાંદોદ તાલુકામાં ૭ દર્દી

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં મંગળવારે નવા ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની રાજેન્દ્રનગર સોસાયટીમાં ૦૧, મોટા માલિવાડ ૦૧ મોટા માછીવાડ ૦૧ નાંદોદ તાલુકાના વડીયા ૦૧ અમલેથા ૦૧ નિકોલી ૦૧ નરખડી ૦૧ ગરુડેશ્વર તાલુકાના બોરીયા ૦૧, સાગબારાના રાનીપુર ૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૮ દર્દીઓ દાખલ છે. આજે ૦૯ દર્દી સજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૫૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. આજદિન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૧૮ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(6:47 pm IST)