Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સામરખા-રાવળાપુરની મોટી નહેરમાં પોલીસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તપાસ શરૂ

સામરખા:સામરખા-રાવળાપુરા મોટી નહેરમાંથી આજે સાંજના સુમારે એક ૩૫ થી ૪૦ વર્ષના યુવાનની લાશ મળી આવતાં આણંદ રૂરલ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનારના શરીરે બાહ્ય ઈજાના કોઈ ચીહ્નો મળી આવ્યા નથી. જેથી પ્રથમ દ્રષ્ટીએ પાણીમાં ડુબી જવાને કારણે મોત થયું હોવાનું લાગી રહ્યું છે. આવતીકાલે મૃતદેહનું પીએમ હાથ ઘરવામાં આવશે જેમાં મોતનું સાચુ કારણ બહાર આવે તેમ છે. 

પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવાન આણંદના કૈલાશફાર્મ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતો સનતભાઈ રાવજીભાઈ પટેલ હોવાનું અને ભરોડામાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. 

(5:31 pm IST)