Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વચ્ચે વધુ 1015 દર્દીઓ સાજા થયા : નવા 1094 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 77661 થયો : વધુ 19 લોકોના મોત : મૃત્યુઆંક 2767 થયો

સુરતમાં સૌથી વધુ 234 કેસ, અમદાવાદમાં 162 કેસ, વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 56 કેસ, પંચમહાલમાં 43 કેસ, મોરબીમાં 39 કેસ, ભાવનગરમાં 34 કેસ, અમરેલીમાં 30 કેસ, કચ્છમાં 29, કચ્છ અને ગાંધીનગરમાં 29-29 કેસ, ભરૂચમાં 24 કેસ, ગીર સોમનાથમાં 20 કેસ, દાહોદમાં 17 કેસ, મહેસાણા,પાટણ અને સુરેન્દ્રનગરમાં 16-16 કેસ : વધુ 1015 દર્દીઓ સાજા થતા કુલ 60537 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1015 કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 77661 થઇ છે જયારે આજે વધુ 19 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2767 થયો છે બીજીતરફ આજે વધુ 1015 દર્દીઓ સાજા થતા કુલ 60537 લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14359 એક્ટિવ કેસ છે જેમાં 14283 સ્ટેબલ છે અને 76 દર્દીઓ વેન્ટિલેટર પર છે  

   આજે નોંધાયેલા નવા 1015 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 166 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 148 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 234 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 162 કેસ  નોંધાયા છે જયારે  ,વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 56 કેસ, પંચમહાલમાં 43 કેસ, મોરબીમાં 39 કેસ, ભાવનગરમાં 34 કેસ,અમરેલીમાં 30 કેસ, કચ્છમાં 29 , કચ્છ અને ગાંધીનગરમાં 29-29 કેસ,ભરૂચમાં 24 કેસ,ગીર સોમનાથમાં 20 કેસ, દાહોદમાં 17 કેસ,મહેસાણા,પાટણ અને સુરેન્દ્રનગરમાં 16-16 કેસ નોંધાયા છે

(7:46 pm IST)