Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ગાંધીનગરની અંબાપુરની બ્રિજ રેસિડેન્સીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 4.6 લાખના દાગીના ચોરી છુમંતર

ગાંધીનગર:શહેર નજીક આવેલા અંબાપુરની બ્રીજ રેસીડેન્સીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો તેમાંથી ૪.૬ લાખના દાગીના અને ૮૦ હજાર રોકડા મળી ૪.૮૬ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા યુવાને આ ચોરીની ઘટના અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.   

પાટનગર ગાંધીનગરમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે છેલ્લા થોડા સમયથી તસ્કર ટોળકી મેદાને આવી હોય તેમ ચોરીની ઘટનાઓ બનવા લાગી છે. શહેર નજીક આવેલા અંબાપુરમાં આવેલી બ્રીજ રેસીડેન્સીમાં રહેતો યુવાન જીતેન્દ્રભાઈ નિમીષભાઈ દેસાઈ સરગાસણની સાઈટ ઉપર સુપરવીઝનનું કામ કરે છે અને ગત તા.૧૦ ઓગસ્ટના રોજ મકાન બંધ કરીને દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે પિતાના ઘરે પરિવાર સાથે જવા માટે નીકળ્યા હતા. 

(2:26 pm IST)