Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મેઘરાજ તાલુકામાં અગમ્ય કારણોસર 18 વર્ષીય યુવકે ઝાડ પટ લટકી જીવન ટૂંકાવ્યું

મેઘરજ:તાલુકાના મુળ પાણી બાર ગામનો અને અમદાવાદ નોકરી કરતો ૧૮ વર્ષીય યુવક અગમ્ય કારણોસર પુંજાપુરના ખેતરમાં ઝાડ સાથે લટકી જઇને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મેઘરજ તાલુકાના પાણીબાર ગામના સંજય મનુભાઈ તરાર છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તાજેતરમાં લગ્નની સીઝન હોવાથી પોતાના વતન પાણીબાર આવ્યો હતો અને ગઇકાલે તેમના બહેન બનેવી સાથે મોટર સાયકલ દ્વારા અમદાવાદ જવાનું હતું. આ યુવાન અધ વચ્ચે ઉતરી ગયો હતો ત્યારબાદ તાલુકાના પુંજાપુર ગામે ગામની સીમમાં આવેલા મહુડાના ઝાડ સાથે અગમ્ય કારણોસર દોરડુ બાંધી લટકી જઈ આત્મહત્યા કરી હતી. પરંતુ મૃતકના પિતાએ તેને અવાર નવાર ફોન ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પણ મોબાઇલ ઉપર સંપર્ક નહિ થઇ શક્તા કઈ અજગતુ બન્યું છે, તેવું લાગ્યું હતું. તેવામાં કેટલાક લોકોએ મેઘરજ તાલુકાના પુંજાપુર ગામની સીમમાં એક ખેતરમાં મહુડાના ઝાડ સાથે એક યુવાન લટકેલ છે તેવી જાણ પાણીબાર ખાતે કરતાં સંજય મનુભાઇ તરાર નામનો યુવાન લટકતો હોવાનું બહાર આવેલ હતું.

 

 

(4:37 pm IST)