Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ધાનેરાના જર્જરિત દિવાલ ઘસી પડતા ચાર લોકોના મોત

સમારકામ વેળાએ દિવાલ ખાબકતા ચાર શ્રમિકો જીવતા દટાયા :લાશને પીએમ માટે મોકલાઈ

ધાનેરામાં જર્જરિત દિવાલ ધસી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

  ધાનેરામાં વર્ષો પુરાણા જર્જરિત મકાનનું સમારકામ ચાલતું હતું કે દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. જમાં 4 શ્રમિકો જીવતા દટાઈ ગયા હતા. જો કે તાબતતોબ તેમને બહાર કાઢીને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તેમનું મોત થઈ ચૂક્યું હતું.

આ બનાવની જાણ થતાં ધાનેરા પોલીસ અને ધાનેરા પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી હતી.

(3:57 pm IST)