Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કે.બી.શાહ, બ્રહ્મભટ્ટ, ભાવસાર, સોની, ત્રિવેદીને અધિક સચિવપદે બઢતી

રાજકોટ, તા. ૧પ :  રાજય સરકારે સચિવાલય કેડરના પ સંયુકત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપીને જે તે જગ્યાએ યથાવત રાખ્યા છે.

બઢતી મેળવનારા અધિકારીઓમાં મહેસુલ વિભાગના કે.બી. શાહ, સામાન્ય વહીવટના બી.જે. બ્રહ્મભટ્ટ, આદિજાતિ વિકાસ મંત્રીના પી.એસ.એ.એમ.ભાવસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ડો. એસ.આર. સોની અને સામાન્ય વહીવટી વિભાગના જવલંત ત્રિવેદીનો સમાવેશ થાય છે.

(11:46 am IST)