Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

રાજપીપળા ખાતે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા 101 ભગવદ ગીતા ગ્રંથનું વિનામૂલ્યે વિતરણ થશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે સદાય તત્પર રહેનાર શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા ગીતા જયંતી નિમિત્તે 101 ભગવદગીતા ગ્રંથનું વિનામૂલ્યે વિતરણ થનાર છે.
ભગવદ ગીતા હિન્દુઓનું ધર્મનું એક.મહત્વનું પુસ્તક ગણવામાં આવે છે અને અનેક મહાન મનુષ્યોના જણાવ્યા પ્રમાણે કોઈપણ સમસ્યાનો ઉકેલ ભગવદગીતા માંથી મળી આવે છે તો આજના યુગમાં અનેક સમસ્યાઓથી પીડાતા માનવીઓને માનસિક શાંતિ અને રાહત મળે તે માટે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન,રાજપીપળા દ્વારા આ નવતર કાર્ય કરવામાં આવી રહ્યું છે.ભગવત ગીતા ગ્રંથનું વિતરણ તારીખ.14 ડિસેમ્બરે સવારે 10 વાગે હરસિધ્ધિ માતાજીના મંદિરે થશે. તેમ છતાં જે કોઇ વ્યક્તિને વિનામૂલ્યે ભગવદ્ ગીતાજીનો ગ્રંથ ની જરૂર હોય તો તેઓ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે .મો. 931656263

(10:34 pm IST)