Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્‍યાણપુરા પાસે અકસ્‍માતમાં જમાઇ-સસરા અને સગર્ભા પુત્રીના મોતથી અરેરાટી

રાધનપુર: પાટણના રાધનપુરના કલ્યાણપુરા નજીક કાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારની અડફેટે 3 વ્યક્તિઓના મોત થયા છે. કચ્છ તરફથી આવતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે કાબુ ગુમાવતા ખેતર તરફ જતા ખેડૂતો પર કાર ફરી વળી. જેના લીધે 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત આવી અકસ્માતની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે એક વાર ફરી અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં 3ના મોત નિપજ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, બીજી બાજુ દિવાળીનો તહેવાર હોવાથી ગર્ભવતી દીકરીને સાસરેથી તેડીને પરત આવી રહેલા પિતાની કારને ધૂલિયા-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડાઈબારી ઘાટીમાં અકસ્માત નડ્યો હતો. ટ્રકચાલકે કારને અડફેટમાં લેતાં કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. જેના લીધે કારમાં સવાર 4 પૈકી 3નાં મોત નીપજ્યા હતાં. દુર્ઘટનામાં દીકરી – જમાઈ અને સસરાનું મોત નીપજ્યું હતું. સાથે મરણ પામેલી દીકરી 7 માસની ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

(4:38 pm IST)