Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

આણંદના કાસોરમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી બે શખ્સ સામસામે આવ્યા: એકને માથામા પાઇપ ફટકારી જીવલેણ હુમલો

આણંદ: તાલુકાના કાસોર ગામે રહેતા કિરણભાઈ ઉર્ફે ચિરાગભાઈ ગણપતભાઈ ગોહેલને ગત ૮મી તારીખના રોજ બેસતા વર્ષના દિવસે ભાથીજી મંદિર ખાતે બારૈયા વગામાં રહેતા ગણપતભાઈ બારૈયા સાથે ઝઘડો થયો હતો.

દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે તે મિત્ર સાથે ડેરી પાસે આવેલી પાણીપુરીની લારીએ પકોડી ખાવા માટે ગયો હતો. જ્યાં રાજેશભાઈ અનોપસિંહ ચાવડા તથા સંદિપભાઈ ભાણો બાઈક લઈને આવી ચઢ્યા હતા અને રાજેશે ગમે તેવી ગાળો બોલીને ઝઘડાની અદાવત રાખીને પોતાની પાસેની લોખંડની પાઈપ કિરણભાઈને માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ સંદિપભાઈ ભાણાએ પણ ધક્કો મારીને નીચે પાડી દેતા ઈજાઓ થવા પામી હતી. દરમ્યાન પકોડીવાળો તથા અન્યોએ વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યો હતો અને દવાખાને લઈ ગયા હતા. ભાલેજ પોલીસે આ અંગે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

(4:40 pm IST)