Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોનાને અટકાવવા ઇડરમાં સવારે ૭ થી સાંજે 5 વાગ્યા સુધી જ બજારોમાં દુકાનો ખુલ્લી રહેશે

નગરપાલિકાએ ઇડરના વેપારીઓ સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો

ઇડરઃ સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જતાં અને રોજબરોજ નવા કેસો નોંધાઇ રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સાબરકાંઠાના ખેડબ્રહ્મા બાદ ઇડરમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

 


મળતી જાણકારી અનુસાર, કોરોનાને ફેલાતો અટકાવવા માટે ઇડરમાં બજારનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, આવતીકાલથી સાત દિવસ માટે સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી જ ઇડરમાં બજાર ખુલ્લું રાખવામાં આવશે. ઇડર નગરપાલિકાએ ઇડરના વેપારીઓ સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. જોકે, આ દરમિયાન આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

(10:01 pm IST)