Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

શ્રી પરશુરામ ઈન્ટરનેશનલ યુથ બ્રિગેડ, ગુજરાતના અમદાવાદ જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે શાસ્ત્રી મનિષકુમાર મહેતાની નિમણૂક

શાસ્ત્રી ભાવિનભાઈ‌ દવેની વિરમગામ તાલુકા પ્રમુખ તરીકે નીમણૂંક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રી પરશુરામ ઈન્ટરનેશનલ યુથ બ્રિગેડ, ગુજરાતના અમદાવાદ જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે વિરમગામના શાસ્ત્રી મનિષકુમાર મહેતાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શાસ્ત્રી ભાવિનભાઈ‌ દવેની વિરમગામ તાલુકા પ્રમુખ તરીકે નીમણૂંક કરવામાં આવી છે. શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ યુથ બ્રિગેડ ગુજરાતના હોદેદારોની નીમણૂંક કરવામાં આવતા તેમના શુભેચ્છકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. મનીષભાઈ અને ભાવિનભાઈ ને મિત્રો પરિવારજનો અને શુભેચ્છકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(7:38 pm IST)