Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નર્મદા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમિતિ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી માટેના રોટેશનમાં ફેરફાર કરવા આવેદન

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાત ચૂંટણીપંચ સમિતિ તરફથી તાલુકા જિલ્લાની બેઠકોમાં રોટેશન કરવામાં આવ્યું છે તે નિયમો અનુસાર થયું હોય તેવું અમને લાગતું નથી, જેથી ફેર વિચારણા કરી નિયમો અને વસ્તીના પ્રમાણે ફેરફાર કરવા વિનંતી કરાઈ છે.
  રાજપીપળા નગર પાલિકામાં એક જ અનુસૂચિત જાતિની બેઠક તે અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક ફાળવવામાં આવી છે.વર્ષો થી બેઠક અનુસૂચિત જાતિ પુરુષની આવતી હતી તો આ બેઠક પુરુષ કરવા નિયમ અનુસાર એસ.સી.ની એક જ બેઠક હોય ત્યાં રોટેશન લાગુ પડતું નથી.નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો દેડિયાપાડા, સાગબારા,નાંદોદ, તિલકવાડા,ગરૂડેશ્વર ની પણ ઘણી બેઠકોમાં વસ્તી પ્રમાણે રૉટેશન થયું નથી તો તેમાં પણ ફેર વિચારણા કરવા આવેદનપત્ર માં જણાવાયું હતું

(7:02 pm IST)