Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પેટલાદ તાલુકાના શાહપુર નજીક કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનું ગંભીર ઇજાથી મૃત્યુ નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

આણંદ;જિલ્લામાં વરસાદ બાદ મોટાભાગના માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતોની સંખ્યામાં પણ રોકેટ ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ રસ્તાઓના નવિનીકરણમાં તંત્રની સાંઠગાંઠથી કામમાં બેદરકારી દાખવતાં ટૂંકા ગાળામાં માર્ગો પર મસમોટા ગાબડાં પડી ગયાં છે. જેના લીધે અનેક માનવ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકિદે આવા રસ્તાઓનો સમારકામ કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

પેટલાદ તાલુકાના શાહપુર ગામના પાટિયા અને જોગણા ગામના પાટિયા પાસે આજે ઇકો ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગોઝારો અકસ્મતા સર્જાયો હતો જેમાં ધર્મજ ગામના કિસાન ચોક, તલાય ફળીયા વિસ્તારમાં રહેતાં કનૈયાભાઈ મગનભાઈ ઠાકોર (.. ૩૦) અને તેમની પુત્રી અવનીબેન કનૈયાભાઈ ઠાકોર (..)ને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જો કે પિતા પુત્રીને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર કારગત નીવડતાં બન્નેના મોત નિપજ્યાં હતાં. આમ, ધર્મજના પિતા પુત્રીના મોતથી ગામ સહિત સ્વજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

(6:10 pm IST)