Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

બોરસદ તાલુકાના મોટી શેરડી ગામે પ્રેમીની મદદ લઇ પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ થનાર પતિને મોતનેઘાટ ઉતારી લાશ તળાવમાં ફેંકી દેતા ચકચાર

બોરસદ: તાલુકાના મોટી શેરડી ગામથી ધનાવસી તરફ જવાના માર્ગ પર આવેલ તળાવના કિનારે ગત રોજ ધુવારણના ગુલાબસિંહ ચંદુભાઈ ગોહેલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓના ગળાના ભાગે નિશાન હોઈ અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ મૃતદેહને ઢસડીને તળાવના કિનારે નાખી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. બનાવ અંગે ભાદરણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મરણ જનાર ગુલાબસિંહ ગોહેલ સુરત ખાતે હિરા ઘસવાની મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતો હોવાનું અને આશરે સપ્તાહ પૂર્વે ધુવારણ ખાતે પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતુંજોકે થોડા દિવસ પૂર્વે કંકાપુરાના એક શખ્સ સાથે તેની પત્નીના આડા સંબંધને લઈ તકરાર થઈ હતી જેના આધારે  પોલીસે કંકાપુરાના શકમંદની અટક કરી વધુ પૂછપરછ કરતાં પ્રેમ પ્રકરણમાં ધુવારણના યુવાનની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ગુલાબસિંહના પત્ની સાથે અર્જુનસિંહ નામના શખ્સના આડા સંબંધોને લઈને અવારનવાર પતિ પત્ની સાથે ઝઘડો થતો હતો. જોકે પ્રેમ સંબંધમાં આડખીલી રૃપ બનેલા પરિણીતાના પતિનો કાંટો કાઢવા હત્યાનો પ્લાન ઘડાયા બાદ પત્ની ગુલાબસિંહને બદલપુર પાસે લઈ ગઈ હતી જ્યાં પ્રેમી અર્જુનસિંહે મૃતક ગુલાબસિંહને લોન આપવાની લાલચ આપી રિક્ષામાં બોરસદ સહિતના વિસ્તારોમાં ફેરવ્યા હતા. બાદમાં અન્ય ત્રણ શખ્સોની મદદ લઈને શીણપુરા ગામના ગૌચરની અવાવરૃ જગ્યામાં ગુલાબસિંહને લઈ જઈ ગળું દબાવી હત્યા કરાઈ હતીત્યારબાદ લાશની ઓળખ થવાની બીકે રાત્રિના મુખ્ય આરોપી સહિતના શખ્સોએ લાશને ગંભીરપુરા નદીના બ્રિજ ઉપરથી ફેંકી દેવાનું નક્કી કરાયું હતું અને આરોપીઓ રિક્ષામાં લાશને ત્યાં લઈ જતાં હતા ત્યારે રસ્તામાં તેમને બીક લાગતાં બોરસદ તાલુકાના મોટી શેરડી ગામના તળાવ પાસે લાશ ફેંકીને જતા રહ્યા હતાં.

(6:10 pm IST)