Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ત્રણ માળના મકાનની જર્જરિત ગેલેરી ધરાશાયી થતા યુવાનનું મૃત્યુ

અમદાવાદ:શહેરના સારંગપુર દોલતખાનામાં આવેલાં એક ત્રણ માળના જર્જરીત મકાનની ગેલેરી રવિવારે વહેલી સવારે ધડાકાભેર ધરાશાયી થતાં ગેલેરીમાં સુઈ રહેલા એક યુવાન ધરાશાયી થયેલી ગેલેરી સાથે નીચે જમીન પર પટકાતા તેનું મોત થયું હતું.જયારે અન્ય આઠ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.એસ્ટેટ વિભાગ દ્વારા મકાન ખાલી કરાવી ભયજનક ગેલેરીનો બાકીનો ભાગ ઉતારી લેવામાં આવ્યો હતો.

મળતી માહીતી પ્રમાણે,સારંગપુર દોલતખાનામાં આવેલા રબારી વાસમાં ગ્રાઉન્ડ ઉપરાંત પહેલા અને બીજા એમ ત્રણ માળનું જર્જરીત મકાન આવેલું છે. મકાનના બીજા માળની ગેલેરીમાં માનુરામ રૂપા મીણા,ઉં.વર્ષ-30 રવિવારની રાતના સમયે ઉંઘી રહ્યા હતા.પરોઢે ત્રણના સુમારે ગેલેરીનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થતાં  ગેલેરીમાં સુઈ રહેલાં માનુરામ પણ ગેલેરીની સાથે નીચે પટકાતા તેમનું મોત થયું હતુ

(6:06 pm IST)