Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નાંદોદના રૂંઢ ગામમાં વૃદ્ધ મહિલા ઘરનો લોખંડનો દરવાજો ખોલવા જતા કરંટ લાગતા મોત થયું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રૂંઢ ગામમાં રહેતા એક વૃદ્ધ મહિલા તેમના ઘરનો લોખંડનો દરવાજો ખોલવા જતા હતા એ સમયે અચાનક કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર રૂંઢ ગામમાં રહેતા ઝીણીબેન બચુભાઇ વસાવા (ઉ.વ.૬૦) બહાર થી આવી તેમના ઘર નો લોખંડનો દરવાજો ખોલવા જતા હતા તે વખતે ઘરમા શોર્ટ સર્કિટ થતા આખા ઘરમા અર્થીગ થતા લોખંડના દરવાજા સાથે અર્થીંગ ઉતરતા કરંટ લાગવાથી તેમનું મોત થયું હોય રાજપીપળા પોલીસે આ બાબતે અ.મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)