Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નર્મદા જિલ્લામાં સોમવારે વધુ ૬ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૦૯ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં સોમવારે નવા ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૬ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની ઇન્દ્રપુરી સોસાયટીમાં-૦૧,નાંદોદ તાલુકાના વડીયા-૦૨ ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-૦૧,તિલકવાડા તાલુકાના જેસીંગપુરા ગામમાં-૦૧ સાગબારા તાલુકાના કુઈદા ગામમાં-૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૬ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૮ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૮ દર્દીઓ દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૪૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે.આજદિન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૦૯ પર પહોચ્યો છે.આજે વધુ ૩૫૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:38 pm IST)