Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વડોદરા ભાજપના વરિષ્‍ઠ નેતા યોગેન્‍દ્ર સુખડિયાનું કોરોનામાં મોત થતા અરેરાટી

વડોદરા: વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજતા વડોદરા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. યોગેન્દ્ર સુખડિયા ભાજપના બોર્ડના પ્રથમ સ્થાયી સમિતિ ચેરમેન હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, યોગેન્દ્ર સુખડિયાને બે વાર કોરોના થયા હતો. અગાઉ કોરોના થતાં તેઓને કોરોનાને માત આપી હતી. પણ બીજી વખતની જંગ તેઓ જીતી શક્યા ન હતા. બીજી વખત કોરોના થયો, પણ બીજી વખત કોરોનાને હરાવી શક્યા ન હતા. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. આ પીઢ નેતા 65 વર્ષની ઉંમરના હતા, અને સંગઠનની કામગીરીમાં સામેલ હતા.

પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલને કોરોના

તો બીજી તરફ, વડોદરામાં ભાજપ નેતા સતીષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતીષ પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય છે. વડોદરાના માંજલપુરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે દાખલ કરાયા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કરજણ બેઠકની પેટાચૂંટણીની તૈયારી માટે કરી રહ્યા હતા. દોડધામ વધતા છેલ્લા કેટલાય દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જેના બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ વ્યો છે.

વડોદરામાં સેવઉસળની લારીના સંચાલકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મકરપુરા GIDC માં આવેલી સેવઉસળની લારી ચલાવનારો રિપોર્ટ પોઝિટિવ આવતા સેવઉસળ ખાનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે, રોજ હજારો કામદારો મકરપુરા GIDC કામ પર આવે છે, અને અહીં સેવઉસળ ખાતા હોય છે.

(4:47 pm IST)