Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મહેમદાવાદના નેનપુરમાં મારામારીના જુદા જુદા બે બનાવમાં ચારની હાલત ગંભીર

મહેમદાવાદ: તાલુકાના નેનપુર તેમજ માતર તાલુકાના રતનપુર ગામમાં ગતરોજ બનેલા મારામારીના જુદા-જુદા બે બનાવોમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ફરિયાદને આધારે પોલીસે બંને બનાવોમાં થઈ કુલ ૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં રહેતાં લાલજીભાઈ મંગળભાઈ જાદવનું ખેતર ગામની સીમમાં રોપાલીયા વિસ્તારમાં આવેલુ છે. લાલજીભાઈના ખેતરની બાજુમાં જ વિનોદભાઈ શનાભાઈ જાદવનું ખેતર આવેલું છે. આ બંનેના ખેતરની વચ્ચે વાડ બનાવેલી છે. આજરોજ સવારના સમયે વિનેદભાઈ શનાભાઈ જાદવ, વિજયભાઈ શનાભાઈ જાદવ, શનાભાઈ મગનભાઈ જાદવ અને અજયભાઈ શનાભાઈ જાદવ ભેગા મળી બંને ખેતરની વચ્ચે બનાવેલી વાડ કાપતાં હતાં. જેથી લાલજીભાઈએ વાડ કાપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા વિનોદભાઈ શનાભાઈ જાદવ લાકડી લઈ આવી લાલજીભાઈ મંગળભાઈ જાદવના માથામાં ફટકારી ઈજા પહોંચાડી હતી. તેમજ ચારેય જણાંએ ભેગા મળી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:46 pm IST)