Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમીરગઢ-પાલનપુર હાઇવે પર એમ્બ્યુલન્સ પલ્ટી ખાતા સાત વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી

અમીરગઢ: પાલનપુર હાઈવે રોડ પર ગંગાસાગરના પાટીયા પાસે આબુરોડ બ્રહ્માકુમારીની એમ્બ્યુલન્સ અચાનક પલટી ખાતે તેમાં બેઠેલ સાત વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા પાલનપુર ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

સવારના દશેક વાગ્યાના સમયે આબુરોડ બ્રહ્માકુમારીની એમ્બ્યુલન્સ આબુરોડથી પાલનપુર જઈ રહી હતી તે દરમિયાન અમીરગઢના ગંગાસાગરના પાટીયા પાસે એમ્બ્યુલન્સના ચાલકનુ સ્ટેરીંગ પરનુ કાબુ ગુમાવતાં વળાંકવાળા રસ્તા પર એમ્બ્યુલન્સ ડિવાઈડર કુદીને ખાડામાં ખાબકી હતી. એમ્બ્યુલન્સમાં સવાર સાત વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ વાન દ્વારા સારવાર અર્થે પાણીપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ ખાડામાં પલટી ખાતા તેનો અવાજ આવતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાંથી બહાર નિકાળવા માટે મદદરૃપ થયા હતા. જ્યારે લોકોની જાણના આધારે ૧૦૮ ઘટનાસ્થળે તાત્તકાલિક પહોંચતાં સમયસર સારવાર મળેલ હતી. પ્રાપ્ત માહિતી મુજબ સાતમાંથી બે વ્યક્તિઓની હાલત વધારે ગંભીર જણાઈ રહી છે. અકસ્માત થયાની જાણના આધારે અમીરગઢ પોલીસ તથ્ય એલ એન્ડ ટીની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

(5:45 pm IST)