Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ગાંધીનગર નજીક સર્જાયેલ બે કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં દંપતીએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ગાંધીનગર:શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ગઈકાલે સવારના સમયે ગિયોડ પાટીયા પાસે માર્ગ ઓળંગી રહેલી કારને ચિલોડા તરફથી પુરઝડપે આવતી કારે અડફેટે લેતાં તેમાં સવાર વૃધ્ધ દંપતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર ખાતે નંદી પાર્કમાં રહેતા શૈલેન્દ્રસિંહ સામંતસિંહ રમલાવતના પિતા સામંતસિંહ રમલાવત અને માતા મનહરકુંવર ઉર્ફે નંદુબા છેલ્લા પંદર દિવસથી ઈડર મસાલ ગામ ખાતે રહેતા હતા અને ગઈકાલે તેમની કાર નં.જીજે-૦૯-એમ-૧૧ર૩ લઈને તેમના વતનથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. 

(5:44 pm IST)