Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

થરાદની નર્મદા નહેરમાં વાવની હેતલબેન રાઠોડે મોતની છલાંગ લગાવી :પાલિકાના તરવૈયાએ મૃતદેહ બહાર કાઢ્યો

 

થરાદના દુધશીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં વાવ શહેરના રાઠોડવાસની હેતલબેન દુદાભાઇ રાઠોડ નામની ૨૨ વર્ષિય મહિલાએ મોતની છલાંગ લગાવી હતી.

   બનાવની પરિવારને જાણ થતાં નહેર પર દોડી આવ્યાં હતાં.જોકે રાતે વાવઝોડાનો માહોલ હોઇ શોધખોળ મુશ્કેલ બનતાં  વહેલી સવારથી પાલિકાની રેસ્કયુ ટીમ દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાનનગરપાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદથી મહિલાના મૃતદેહને  શોધખોળ બાદ બહાર કઢાયો હતો.અને પરિવારને સોંપ્યો હતો.

  પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.થરાદ પોલીસ દફતરે બનાવની કોઇ નોંધ નહી થવા પામી હોવાનું જણાવ્યું હતું.

(12:26 am IST)