અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 9995 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15,365 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે
મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 9995 કેસ નોંધાયા છે જયારે વધુ 15, 365 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 6,09,031 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 104 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8944 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 82,82 ટકા થયો છે
રાજ્યમાં હાલ 1,17,373 એક્ટિવ કેસ છે, જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,16,587 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6,09,031 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે
રાજ્યમાં આજે વધુ 33,050 વ્યત્કિઓના રસીકરણ થતા અત્યાર સુધીમાં કુલ 1,47.51,911 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9995 કેસમાં અમદાવાદમાં 2824 કેસ, વડોદરામાં 1068 કેસ, સુરતમાં 850 કેસ,રાજકોટમાં 622 કેસ, જૂનાગઢમાં 497 કેસ, જામનગરમાં 393 કેસ, મહેસાણામાં 338 કેસ, ભાવનગરમાં 308 કેસ,અમરેલીમાં 285 કેસ,બનાસકાંઠામાં 235 કેસ,ગાંધીનગરમાં 223 કેસ,પંચમહાલમાં 198 કેસ, દાહોદમાં 187 કેસ,આણંદમાં 178 કેસ,ખેડામાં 174 કેસ,ગીર સોમનાથમાં 173 કેસ,કચ્છમાં 170 કેસ,સાબરકાંઠામાં 142 કેસ,ભરૂચમાં 131 કેસ, પાટણમાં 116 કેસ, મહીસાગરમાં 111 કેસ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 109- 109 કેસ, નવસારીમાં 103 કેસ નોંધાયા છે