Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમદાવાદ નજીક ગામના લોકોની જાગરૂકતાને બડોદરા કોરોનામુક્ત

ચાર કિલોમીટર દૂર આવેલુ બડોદરા ગામમાં એકપણ કોરોના કેસ નહીં

અમદાવાદ : અમદાવાદથી ચાર કિલોમીટર દૂર આવેલુ બડોદરા ગામ આજે પણ કોરોનામુક્ત છે. ગામના લોકોની જાગરૂકતાને બડોદરા કોરોનામુક્ત ગામ છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદથી ચાર કિલોમીટર દૂર આવેલુ બડોદરા ગામ આજે પણ કોરોનામુક્ત છે. બડોદરા ગામમાં કોરોનાનો હજી સુધી એકપણ કેસ નોંધાયો નથી. ગામના લોકોની જાગરૂકતાને બડોદરા કોરોનામુક્ત ગામ છે. ગામમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.

કોરોનાની બીજી લહેરે ગામડાઓની મુશ્કેલી વધારી છે. ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું બડોદરા ગામ આજે પણ કોરોના મુક્ત ગામ છે. બડોદરા ગામમાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગ્રામજનોના સહકારથી આ ગામ કોરોનામુક્ત રહ્યું છે. ગામના લોકો અને પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

ગામના લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને ગામથી દૂર જ રાખ્યો છે. અમદાવાદ શહેરથી આ ગામ માત્ર ત્રણ ચાર કિલોમીટર દૂર હોવા છતાં લોકો કામ સિવાય ગામની બહાર નીકળતા નથી અને ગામ સિવાયના અન્ય લોકોને ગામમાં પ્રવેશવા દેતા નથી. ગામમાં એકપણ કેસ ના હોવા છતાં તકેદારીના ભાગરૂપે ગામની પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર પણ ઉભું કરી દેવામાં આવ્યું છે.

 

(12:41 am IST)