Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગુજરાતમાં આજે પણ કોરોનાના નવા કેસ કરતા સાજા થવાનો આંક ઊંચો રહ્યો: સાડાચાર હજાર વધુ સાજા થયા

અમદાવાદ : આજે રાત સુધીમાં ગુજરાતમાં ૧૦,૭૪૨ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૧૦૯ ના મૃત્યુ થયા છે. જ્યારે ૧૫,૨૬૯ કોરોના દર્દીઓ સાજા થઇ થયા છે. આમ સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યો છે અને નવા કોરોના કેસ કરતા સાડાચાર હજાર લોકો વધુ સાજા થયા છે.

કર્ણાટકમાં આજે મોડી સાંજ સુધીમાં ૩૫,૨૯૭ નવા કોરોના કેસ નોંધાયા જ્યારે તેની નજીક એટલે કે ૩૪,૦૫૭ કોરોના દર્દીઓ સાજા થયા છે. આજે ૩૪૪ લોકોના કર્ણાટકમાં મૃત્યુ નોંધાયા છે.
મધ્યપ્રદેશમાં ૮૪૧૯ નવા કેસ નોંધાયા, ૭૪ મૃત્યુ અને કોરોનાના સાજા થયેલા દર્દીઓનો આંક ૧૦,૧૫૭ એટલે કે કોરોનાના નવા કેસ કરતા સાજા થવાનો આંક દોઢ હજાર વધુ રહ્યો છે.

(9:35 pm IST)