Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પાલજમાં પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી ગ્રામજનોને દુષિત પાણી પીવાની નોબત આવી

ગાંધીનગર:શહેર સમાવિષ્ટ પાલજ ગામમાં પીવાના પાણીની લાઇન લીકેજ થવાથી દુષિત પાણી પીવાની નોબત ગ્રામજનોને આવી છે. જેના પગલે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. સમસ્યા અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતાં ગ્રામજનોમાં પણ રોષ ઉભો થયો છે

ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પાલજ ગામમાં રાધાકૃષ્ણ મંદિર પાસે આવેલાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ થવાના કારણે ગ્રામજનોને પુરતું પાણી પ્રાપ્ત થઇ શકતું નથી. તો બીજી તરફ પાણીની લાઇન લીકેજ હોવાના કારણે દુષિત પાણી પણ તેમાં ભળી રહ્યું છે અને ગ્રામજનોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે

(5:24 pm IST)