Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કોંગ્રેસ લોકોનો કરશે સીધો સંપર્ક

આગામી રવિવારે અમદાવાદમાં તમામ વોર્ડમાં અગ્રણીઓ સ્થાનીક લોકોને મળશે : મહાનગર રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ યોજાશે 'કોંગ્રેસ પ્રજાના દ્વારે' કાર્યક્રમ

અમદાવાદ તા. ૧૪ : રાજ્યના ૪ પ્રમુખ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોંગ્રેસે તેનું સંગઠન વિસ્તારવા માટે લોકો વચ્ચે જવા માટે 'પ્રજાના દ્વારે' કાર્યક્રમ હાથ ઉપર લીધો છે, જેમાં પ્રથમ ચરણમાં આવતા રવિવારે ૨૦મી મેએ આખો દિવસ મહાનગર અમદાવાદના દરેકે દરેક ૪૮ વોર્ડમાં ફરી કોંગ્રેસના આગેવાનો સ્થાનિક લોકો સાથે સંવાદ યોજાશે. આવો જ કાર્યક્રમ બાદમાં અન્ય મહાનગરોમાં યોજાશે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં રવિવારે સાંજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ધારાસભ્યો, શહેર - જિલ્લાના આગેવાનોની બેઠક યોજાઇ. જેમાં અમિત ચાવડાએ ઉપરોકત કાર્યક્રમ જાહેર કર્યો હતો.  અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં બૂથદીઠ એક પુરૂષ એક મહિલા એમ બે જનમિત્રની નિમણૂકો માટે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી. નવા શહેર - જિલ્લા પ્રમુખોની નિમણૂકો બાબતે બેઠકમાં હંગામો થવાની ચર્ચા હતી પરંતુ મીટીંગ શાંતિથી પાર પડી હતી.

(4:03 pm IST)