Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અમદાવાદમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા રોકનાર જીજ્ઞેશ મેવાણીના સમર્થકોની અટકાયત

રાજકોટ, તા. ૧૪ :. આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે તેઓની પ્રતિમાને ફુલહાર કરતા રોકનારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થકોની અમદાવાદમાં અટકાયત કરવામાં આવી છે.

આજે ભાજપના સાંસદ કિરીટભાઈ સોલંકી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ તેઓને ફુલહાર કરતા અટકાવતા તેમની અટકાયત કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં કડક સુરક્ષા વચ્ચે ભાજપના આગેવાનો, કાર્યકરો પહોંચતા તેમને અટકાવનારાની અટકાયત કરી હતી.

(12:49 pm IST)