Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજનામાં ૯૬૫ વિદ્યાર્થીઓને લાભ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૪ : રાજ્‍યમાં મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજના અંગે ભાજપના રમેશભાઇ ટીલાળાના એક પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૯૬૫ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્‍યો છે અને જે વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્‍યો છે અને તે પેટે કુલ રૂા. ૧૦૬૬.૪૬ લાખની સ્‍કોલરશીપ ચુકવવામાં આવી છે.

(4:33 pm IST)