Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઠાસરા નજીક વણાક બોરી પાસેની મહી નદીમાં ત્રણ અજાણ્યા મૃતદેહ તરતા જોવા મળ્યા ;લોકોના ટોળા વળ્યાં

ઉમરેઠ તરફ તણાયા મૃતદેહ :છુટાછવાયા મૃતદેહના પગ દોરડાથી બંધાયેલ અને વિકૃત હાલતમાં હોવાની ચર્ચા

 

ઠાસરા : ઠાસરા નજીક વાણાક બોરી નજીકથી પસાર થતી મહી કેનાલમાં સવારે ત્રણ અજાણ્યા મૃતદેહ જોવા મળતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જોકે સ્થળ પર કોઈ તરવૈયા કે પોલીસકર્મી હાજર હોવાથી મૃતદેહ ઉમરેઠ તરફ કેનાલના પાણીમાં તણાયા હતા.

 

   નજરે જોનારાના કહેવા મુજબબ કે સવારે ૧૧ કલાકે ત્રણેય મૃતદેહ કેનાલમાં છુટા છવાયા જોવા મળ્યા હતા. તેમજ તેમના પગ દોરડાથી બંધાયેલ હોવાનુ જોવા મળ્યુ હતું. મૃતદેહો વિકૃત હાલતમાં હતા, અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરવા છતા કોઈ પોલીસકર્મી ત્યાં પહોંચ્યો નહતો. જેથી મૃતદેહો કેનાલમાં આગળ તણાઈ ગયા હતા. ત્યારે હવે મૃતદેહ કોના હતા તે પ્રશ્ન હાલ ઉભો થયો છે. કોઈએ આત્મહત્યા કરી કે પછી હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયા તે રહસ્ય અકબંધ છે.

(12:21 am IST)