Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે રાજપીપળામાં 15મી નવેમ્બરે શોભાયાત્રા નિકળશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આગામી 15 નવેમ્બર ના દિવસે બિરસા મુંડાજી ની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ "ધરતી આબા" ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત શોભાયાત્રામાં રાજપીપળા સ્થિત નંદરાજા સ્ટેચ્યુ થી જીન કમ્પાઉન્ડ રાજપીપળા સુધીની શોભાયાત્રા નિકળશે આ આ શોભાયાત્રા નો સમય સવારે 9:00 કંલાકનો રાખવામાં આવ્યો છે ત્યારે આ માટે શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપીપળા એપીએમસી ખાતે એક મિટિંગ રાખવામાં આવી છે જેમાં બીજેપી કાર્યકરો પાલીકા સદસ્યો અને નગરજનોને પણ આ કાર્યક્રમ ને સફળ બનાવવા 13 નવેમ્બરે બપોરે બે વાગે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

(11:01 pm IST)